પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા રોગની સ્થિતિ: આજે 3 નવા શંકાસ્પદ કેસ, નવા પોઝિટિવ કેસ કે મૃત્યુ નોંધાયા નહીં
ગોધરા, પંચમહાલ | તા. 15/07/2026: પંચમહાલ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરાયેલી ચાંદીપુરા (વાયરલ એન્સેફેલાઇટિસ) રોગની દૈનિક સ્થિતિ મુજબ આજે જિલ્લામાં 3 નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે. જોકે નવો કોઈ પોઝિટિવ કેસ કે પોઝિટિવ મૃત્યુ નોંધાયું નથી.
હાલ જિલ્લામાં 5 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 15 કેસ નોંધાયા છે, જેમાં 2 પોઝિટિવ, 10 નેગેટિવ અને 4 કેસોના રિપોર્ટ પેન્ડિંગ છે.
તાલુકાવાર સ્થિતિ:
ગોધરા: 2 પોઝિટિવ, 3 નેગેટિવ, 2 પેન્ડિંગ (કુલ 7)
હાલોલ: 0 પોઝિટિવ, 1 નેગેટિવ, 2 પેન્ડિંગ (કુલ 3)
શહેરા: 0 પોઝિટિવ, 3 નેગેટિવ (કુલ 3)
ઘોઘંબા: 0 પોઝિટિવ, 1 નેગેટિવ (કુલ 1)
કાલોલ: 0 પોઝિટિવ, 2 નેગેટિવ (કુલ 2)
મોરવા હડફ: કોઈ કેસ નથી
જાંબુઘોડા: કોઈ કેસ નથી
આરોગ્ય વિભાગની અપીલ:
બાળકોને જંતુઓના કરડવાથી બચાવો.
ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવો.
રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો.
બાળકોમાં તાવ અથવા ગંભીર લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો.
