HomeNewsકાલોલ તાલુકામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ભાજપના હોદ્દેદારો અને સરપંચોનું કલેક્ટરને આવેદન

કાલોલ તાલુકામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ભાજપના હોદ્દેદારો અને સરપંચોનું કલેક્ટરને આવેદન

કાલોલ તાલુકામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ભાજપના હોદ્દેદારો અને સરપંચોનું કલેક્ટરને આવેદન

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાના મુદ્દે આજે તાલુકાના ભાજપના હોદ્દેદારો તથા વિવિધ ગામોના સરપંચશ્રીઓએ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું.

આવેદનમાં જણાવાયું કે કાલોલ તાલુકા અને આસપાસના ગામોમાં અવારનવાર વીજળી બંધ રહેવાના કારણે ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રતિનિધિમંડળે કલેક્ટરશ્રીને અપીલ કરી કે એમજીવીસીએલ (MGVCL) દ્વારા વીજ પુરવઠાની સમસ્યાનું તાત્કાલિક અને કાયમી નિરાકરણ લાવવામાં આવે, જેથી લોકોને નિયમિત અને અવરોધરહિત વીજ સેવા મળી રહે.

સ્થાનિક લોકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવી હોવાનું હોદ્દેદારોએ જણાવ્યું અને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments