સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો, 67.89% સ્ટોરેજ સાથે સ્થિતિ સ્થિર 🌊
નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ અંગે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. આજે સવારે 9 વાગ્યે ડેમની જળસપાટી 127.82 મીટર નોંધાઈ છે, જે છેલ્લા 24 કલાકમાં 2 સેન્ટીમીટરનો વધારો દર્શાવે છે.
હાલ ડેમમાં 67.89% સ્ટોરેજ સાથે 6422.39 MCM પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમમાં હાલમાં 10,944 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે નદી અને કેનાલ મારફતે કુલ 9,679 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ ડેમની સ્થિતિ સ્થિર છે અને જળસપાટીમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને આધારે ડેમની જળસપાટીમાં વધુ ફેરફાર થઈ શકે છે.
G Live 24 News – સત્ય અને સચોટ સમાચાર 🌐
